ર ચોમાસામાં ઘરમાં ઘુસી જાય છે પાણી? ભરૂચના ભેજાબાજે ઘર તોડ્યા વગર એને ચાર ફુટ ઉંચુ લઈ લીધું

ભરૂચમાં પુરના પાણી મકાનમાં ઘુસી જવાના કારણે ત્રસ્ત બનેલ એક મકાન માલિકે પોતાનું મકાન જમીનથી ચાર ફુટ ઉંચુ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેઓએ કોઇ પણ પ્રકારની મકાનમાં તોડફોડ વગર પાયામાંથી જ પોતાનું મકાન ચાર ફુટ ઉંચુ કરાવાનું કામ શરૂ કર્યુ છે. આ અનોખા પ્રયાસમાં જેક મુકીને આ મકાનને આખે આખુ ઉંચુ કરવામાં આવી રહયુ છે. 

ભરૂચ જિલ્લામાં ચોમાસા દરમિયાન પુરની સ્થિતિએ ભારે તારાજી સર્જી હતી અને અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. ભરૂચની એક સોસાયટીમાં મકાન માલિકે જે તે સમયે મકાન લીધુ હતુ ત્યારે જમીનથી ૩ ફુટ ઉંચુ હતુ પરંતુ સમય જતાં આ મકાન જમીનને સમાંતર થઇ ગયુ હતુ અને તેના કારણે તેઓના મકાનમાં પણ પાણી ઘુસી ગયા હતા. આ સંજોગોમાં ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય એ માટે મકાન માલિક રમેશ જોષીએ પોતાનું મકાન ઉંચુ કરાવવાનું નક્કી કર્યુ અને તેઓએ મકાન તોડાવી નવેસરથી બનાવવા માટેના ખર્ચનો અંદાજ પણ કાઢાવ્યો. આ અંદાજ તેઓને ૫૦ લાખનો ખર્ચ મળ્યો હતો. 

ત્યાર બાદ તેઓએ શોધ ખોળ કરતા તેઓનો સંપર્ક એક એવા આર્કિટેક સાથે થયો જેઓ મકાન તોડયા વગર જ મકાનને જેકની મદદથી ઉંચુ કરી શકે અને તેનો ખર્ચ પણ એક સ્કવેર ફુટના ૨૦૦ રૃપિયા મળ્યો એટલે કે નવુ મકાન બનાવાય તેના કરતા ૨૫ ટકા ખર્ચમાં આ મકાન ઉંચુ થઇ જાય તેવો અંદાજ આવ્યો. રમેશભાઈએ આ આર્કિટેકનો સંપર્ક કરી પોતાનું મકાન ઉંચુ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો અને હાલમાં તે કામ ચાલી રહયુ છે. આજે આ મકાન ૩ ફુટ જેટલું ઉંચુ થઇ ચુક્યુ છે. 

આ મકાનનું કામ ૨૦ જેટલા કારીગરો દ્વારા કરવામાં આવી રહયુ છે. હરીયાણાના શિવચરણ શૈલીની આગેવાનીમાં આ મકાનને ઉંચુ કરવાનું કામકાજ ચાલી રહયુ છે. આ કામમાં કુલ ૨૦૦ જેટલા જેક લગાવવામાં આવ્યા છે. જેના થકી મકાન ઉંચુ કરે શકાય છે. આ આર્કિટેક દ્વારા કોર્ટ ગેરંટી આપવામાં આવે છે. કે જો કોઇ પણ નુકસાન થાય તેની સપુર્ણ જવાબદારી આ આર્કિટેક લે છે. અત્યાર સુધીમાં તેઓએ સમગ્ર ભારતમાં એક હજારથી વધુ મકાનો ઉંચા કર્યા છે. 
Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

જાણવા જેવુ

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Blog Archive

Recent Posts