• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

’ધ ગ્રેટ ચેઈન પઝલ’




ગ્રેટ ચેઈન પઝલ
ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેની ત્રણ ત્રણ અંકોડાવાળી પાંચ સાંકળને એકબીજા સાથે જોડી પંદર અંકોડાવાળી એક સળંગ સાંકળ બનાવવાની છે, એક અંકોડો તોડવા માટેનો ખર્ચ રૂ. અને ફરી તેને જોડવા માટેનો ખર્ચ રૂ. થાય છે. ઓછામાં ઓછા ખર્ચથી સળંગ સાંકળ બનાવવાની છે. કેટલો ખર્ચ થશે ? (માત્ર રકમ નહિ, વિગત પણ જણાવવી)

આપનો જવાબ રૂ. ૧૨ હોઈ શકે છે. પરંતુ હો.વિ.નાં બુદ્ધિશાળી વાચકો આટલા બધા પૈસા ખર્ચે ખરા ?! ખરો જવાબ એથી પણ ઓછો બેસે છે.

Share:

પ્લાસ્ટિક વેસ્ટનો થયો સદઉપયોગ, અમદાવાદમાં પ્રથમવાર પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરી બનાવાયો રોડ

        


       અગાઉ કરાયેલી જાહેરાત પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રોડ બનાવવાનું શરૂ કર્યુ છે.લો-ગાર્ડનથી નગરી હોસ્પીટલ સુધીના એક કીલોમીટરના રોડને ડામરની સાથે પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ પદ્ધતિથી રોડ બનાવવાના કારણે રોડની ગુણવત્તા વધવાની સાથે પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદો થશે.

         ગત મહિને એએમસી દ્વારા શહેરમાં પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિક મટીરીયલનો ઉપયોગ કરીને રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત લો ગાર્ડનથી નગરી હોસ્પિટલ સુધીના એક કીલોમીટરનો માર્ગ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે.રોડ બનાવવા માટે પ્રતિ 1000કીલો ડામરની સાથે 40 માઇક્રોનથી જાડા અને 90 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટીક વેસ્ટના બારીક ટુકડા કરી તેમા 100 કીલો પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે બાદ સામાન્ય રીતે રોડ બનાવાય છે તે જ પ્રમાણે રોડ બનાવવામાં આવે છે.

          આ વિશે એએમસીનાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીનાં ચેરમેન કાંતિભાઈ પટેલનાં જણાવ્યાં પ્રમાણે, આ રોડ બનાવવામાં 8 ટકા પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાય છે.પ્રાયોગિક ધોરણે હાલ એક કિલોમિટર લાંબો રોડ બનાવવામાં આવ્યો છે. જો તે સફળ રહેશે તો બાદમાં દરેક ઝોનમાં આજ રીતે રોડ બનાવાશે.

          મહત્વનું છેકે આ પ્રકારના રોડ બનાવતા પહેલા એએમસીના રોડ પ્રોજેક્ટના ઇજનરો ચેન્નાઇની મુલાકાત ગયા હતા. જ્યાં મોટા પ્રમાણમાં આ પદ્ધતિથી રોડ બનાવવામાં આવે છે. આ પ્રકારના રોડની ગુણવત્તા અને પર્યાવરણને થતા ફાયદા જોયા બાદ એએમસીએ પણ શહેરમાં આજ પધ્ધતીથી રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્લાસ્ટીકના કારણે પાણી જમીનમાં જતુ અટકતુ હોવાથી ખાડા નથી પડતા.
Share:

APN NUMBER FOR INTERNET

MOBILE COMPNY           APN NUMBER
VODAFONE                        WWW
IDEA                                    INTERNET
AIRTEL                               AIRTELGPRS.COM
TATA DOCOMO                 TATA.DOCOMO.INTERNET
BSNL                                   2G BSNLNET
BSNL                                   3G BSNLNET
RELIENCE                          RCOMNET
AIRCEL                               AIRCELGPRS
VIDEOCON                         VINTERNET.COM
UNINOR                              UNINOR

     *99# IN ALL
Share:

ભારત રત્ન પુરસ્કાર મેળવનાર મહાન વિભૂતિઓની યાદી...


ભારત રત્ પુરસ્કાર મેળવનાર મહાન વિભૂતિઓની યાદી...
()       ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન(૧૯૫૪)
()       ડો. ચંદ્રશેખર વેંકટ રામન(૧૯૫૪)
()       ચક્રવર્તી રાજગોપાલાચારી (૧૯૫૪)
()       મોક્ષગુન્દમ વિવેસ્વરયા(૧૯૫૫)
()       જવાહરલાલ નેહરૂ(૧૯૫૫)
()       ડો. ભગવાન દાસ(૧૯૫૫)
()       પં. ગોવિંદ વલ્લભ પંત (૧૯૫૭)
()       ધોંડે કેશવ કર્વે (૧૯૫૮)
()       પુરુષોતમ દાસ ટંડન(૧૯૬૧)
(૧૦)     ડો. બિધાન ચન્દ્ર રોય (૧૯૬૧)
(૧૧)     ડો. રાજેન્દ્ર પ્રસાદ (૧૯૬૨)
(૧૨)     ડો. જાકિર હુસૈન (૧૯૬૩)
(૧૩)     પાંડુરંગ વામન કેન  (૧૯૬૩)
(૧૪)     લાલ બહાદુર શાષાી (૧૯૬૬)
(૧૫)     ઇન્દિરા ગાંધી (૧૯૭૧)
(૧૬)     વરાહગિરી વેંકટ ગિરિ (૧૯૭૫)
(૧૭)     કુમારસ્વામી કામરાજ (૧૯૭૬)
(૧૮)     મધર ટેરેસા (૧૯૮૦)
(૧૯)     આચાર્ય વિનોબા ભાવે (૧૯૮૩)
(૨૦)     ખાન અબ્દુલ ગફફાર ખાન (૧૯૮૭)
(૨૧)     સિલ્વિયા મરૂદુર રાચંદ્રન (૧૯૮૮)
(ર૨)     નેલ્સન મંડેલા (૧૯૯૦)
(ર૩)     ડો. ભીમરાવ આંબેડકર (૧૯૯૦)
(ર૪)     સરદાર વલ્લભભાઇ પટેલ (૧૯૯૧)
(૨૫)     રાજીવ ગાંધી (૧૯૯૧)
(૨૬)     મોરારજી દેસાઇ (૧૯૯૧)
(૨૭)     સત્યજીત રે (૧૯૯૨)
(૨૮)     મૌલાના અબુલ કલામ આઝાદ (૧૯૯૨)
(૨૯)     જહાંગીર રતનજીદાદાભાઇ ટાટા (૧૯૯૨)
(૩૦)     ગુલજારીલાલ નંદા (૧૯૯૭)
(૩૧)     અરૂણા આસફઅલી (૧૯૯૭)
(૩૨)     ડો. .પી.જે. અબ્દુલ કલામ (૧૯૯૭)
(૩૩)     શંમુખાવાદિવુ સુબ્બુલક્ષ્મી મદુરે (૧૯૯૮)
(૩૪)     ચિદમ્બરમ સુબ્રમણ્યમ (૧૯૯૮)
(૩૫)     પંડિત રવિશંકર (૧૯૯૯)
(૩૬)     જયપ્રકાશ નારાયણ (૧૯૯૯)
(૩૭)     ગોપીનાથ બોરદોલાઇ (૧૯૯૯)
(૩૮)     પ્રો. અમર્ત્ સેન (૧૯૯૯)
(૩૯)     ઉસ્તાદ બિસ્મિલ્લાખાન (૨૦૦૧)
(૪૦)     લતા મંગેશકર (૨૦૦૧)
(૪૧)     પંડિત ભીમસેન જોશી (૨૦૦૯)
(૪૨)     સી.એન.આર. રાવ (૨૦૧૪)

(૪૩)     સચિન તેંડુલકર (૨૦૧૪)
Share:

પ્રાર્થના ના શબ્દો

એક નાનો બાળક રોજ શાળાએ જતી વખતે રસ્તામાં આવતા એક મંદિરમાં દર્શન કરવા માટે જતો. ભગવાનની મુર્તિ સામે બે હાથ જોડીને ઉભો રહેતો. આંખો બંધ કરીને પ્રાર્થનામાં એવો તો મશગુલ થઇ જતો કે મંદિરમા દર્શનાર્થે આવતા ભક્તો ભગવાનને બદલે બાળકને જોયા કરતા.

મંદિરના પુજારી પણ બાળકની રાહ જોઇને બેઠા હોય. ઘણા તો એવી પણ વાતો કરતા કે બાળક સાક્ષાત હનુમાનજી છે, કેટલા ભાવથી ભગવાનના દર્શન કરે છે. આંખો બંધ કરીને ઉભેલા બાળકના માત્ર હોઠ ફફળતા હોય. થોડી મિનિટો સુધી બસ એમ કંઇક બોલ્યા કરે. બધાને વાતનું આશ્વર્ય હતું કે નાનો બાળક ભગવાનને શું પ્રાર્થના કરતો હશે !

એક દિવસ બધા ભક્તોએ ભેગા થઇને પુજારીને વિનંતિ કરી કે છોકરાને આપણે પુછીએ કે ભગવાનને શું પ્રાર્થના કરે છે ? પુજારીને પણ જાણવું હતું એટલે બધા પેલા બાળકની રાહ જોવા લાગ્યા. બાળક આવ્યો. બુટ ઉતારીને મંદિરમાં પ્રવેશ્યો. દફતર ખભા પર હતું ને બે હાથ જોડીને પ્રાર્થના ચાલુ કરી. પ્રાર્થના પુરી કરીને બહાર નિકળ્યો એટલે બધા લોકોએ એને ઘેરી લીધો.

પુજારીએ પુછ્યુ , “ સાચુ કહેજો આપ કોણ છો અને રોજ શું પ્રાર્થના કરો છો?”

પેલા બાળકે કહ્યુ , “ અરે, પુજારીજી મને ના ખોળખ્યો હું તો બાજુની ચાલીમાં રહેતા ઇશ્વરભાઇનો માનવ છું અને મને પ્રાર્થનામાં કંઇ ખબર પડતી નથી. ભગવાનને શું કહેવાય અને શું કહેવાય કંઇ સમજાતું નથી. હું તો ભગવાન સામે ઉભો રહીને આંખ બંધ કરીને 5 વખત એબીસીડી બોલી જાવ છું. ભગવાને એમાંથી જે શબ્દો જોઇતા હોય લઇ લે અને જેવી પ્રાર્થના બનાવવી હોય એવી બનાવી લે.”


પ્રાર્થનાને શબ્દોની કોઇ જરુર નથી હોતી , શબ્દોમાં તો મોટા ભાગે માંગણીઓ હોય છે.સાચું ને મિત્રો ???
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts